ઈસ્વીસન 2000 પછી :
હું દીકરી છું અને એ મારા માવતર ...મારી જિંદગી એમની દેણ છે ...એમની કોઈ વાતનું ખોટું ના લગાડાય ..
પણ પૈસો આવે ત્યારે માણસ ને ક્યારેક એટલો અભિમાની બનાવી દે છે કે એને બધા પોતાની જાતથી ઘણા નીચલા સ્તરના લાગવા માંડે છે ..એ કોઈનું પણ અપમાન કરી નાખે છે ..આ સહ્ય નહોતું જ મારા માટે પણ ખબર નહિ ઘરડા માં બાપને મારા લીધે કોઈ દુખ ના થાય એ મારી કોશિશ ને લીધે હું મૌન રહેતી અને આ મારા મૌનને મારી કમજોરી ગણી મારા પર માનસિક પ્રહાર ઉગ્ર બનતા ગયા .
કદાચ ભારતીય દીકરીની આ કરુણા છે કે એને પારકી થાપણ તરીકે ઉછેરે છે અને પારકી કરી દે છે પણ તોય એની જિંદગી ના દરેક નિર્ણયમાં દખલ કરવાનો અબાધ્ય હક્ક છોડી નથી શકતા માવતર ..ભુલાતું જાય છે કે કન્યાવિદાય સાથે એની જિંદગી કોઈ બીજા કુટુંબ સાથે જોડાઈ ચુકી છે .એને પોતાના કુટુંબને પ્રાધાન્ય આપવું પડે છે .તેમાં પિયરનો કોઈ ખોટો હસ્તક્ષેપ એના અને એના પતિના જીવનમાં ગંભીર મતભેદ ઉભા કરી શકે છે અને ત્યારે દીકરી ક્યાંયની નથી રહેતી .એ પીડા કોઈ જ સમજી નથી શકતું ...
હવે એક પછી એક એવી ઘટનાઓ આકાર લેતી હતી કે મને લાગતું હતું કે મારું સ્થાન અહીં કોઈ નથી .એક કંપની માંથી છુટા કરાયેલા કર્મચારીની ખાલી ખુરસી જેવું મારું સ્થાન છે .જેના પર થોડા દિવસ બેસીએ તોય કોઈ નોંધ પણ ના લે ...
મારી હાલત તો એ હતી કે એક સંવાદ થી સમજાઈ જશે ..
"હવે તો પરીક્ષાઓ પતી ગઈ છે ને !!! તમને અહીં રહેવા આવી જાવ એટલે એક કામ પતે ..."
હું કહું : હજી હમણાં જ મને હાશકારો થયો છે .થોડા દિવસ મને કોઈ પણ ઉત્પાત વગર મારા ઘરમાં શાંતિથી રહેવાની ઈચ્છા છે .."
"અમારે રંગ થોડું ઈતર કામ કરાવવાનું છે ... તો હમણાં ના આવીશ ..."
પતિ પાસે માંગેલ પરમીશન બાતલ જતી અને બાંધેલા કપડા છોડીને ફરી કબાટમાં ગોઠવી દેતી ..
મારા પિયર માં જવા માટે મારે ખાલી એમની અનુકુળતા જોવાની અને મારી કોઈ પણ મુશ્કેલી તેઓ ના સમજે .પણ ઘરડા માં બાપને હું નહીં જાઉં તો દુઃખ થશે એ લોકો મનમાં ને મનમાં જીવ બાળ્યા કરશે ...
આમને આમ વર્ષો વિતતા ગયા ..મેં બાંધછોડ કરવાનું ચાલુ રાખ્યું .
માં બાપ ભાઈ ભાભી અને હવે જુવાન થતા એમના સંતાનો પણ અમને ભાર રૂપ ગણતા ..એમના મોજશોખ ના કાર્યક્રમ અમારા આગમન પહેલા અને ઘેર ગયા પછી જ યોજાતા ..
હું સમજતી પણ ચુપ હતી .પતિ મારા વગર કહ્યે ચુપ ચાપ ભીંજાતી રહેતી આંખમાં બધું વાંચી લેતા .હવે મારી સાસરીના કેટલાક પ્રસંગોથી મને લાગવા માંડ્યું કે મારા સાસરિયા સામાન્ય જરૂર છે તો પણ એમને એમની વહુ ભાભી માટે માન છે .અહીં મારું વારંવાર અપમાન નથી થયું .અહીં હક્ક હોવા છતાં પણ મારા અંગત જીવનમાં એમનો કોઈ હસ્તક્ષેપ નથી .એ લોકો પોતાનું સુચન અને સલાહ આપે છે પણ એના અમલની જોહુકમી નથી કરતા .મારા ઘરમાં હું મન ગમતી રીતે રહું છું .મને બંધન નથી ..અને નાનકડું ઉદાહરણ આપું ???
મારે સવારે વહેલા ઉઠીને નાહી લેવાનું ..પછી કપડા આઠ વાગ્યા પહેલા ધોવાના હોય .બાર વાગ્યે જમી જ લેવાનું .પછી ફરજીયાત સુઈ જવું પડે . ટી વી કે રેડીઓ સાંભળવાની છૂટ નહીં . સાંજે પાંચ વાગ્યે જ ચા મળે .સાંજે આઠ વાગ્યે જમી જ લેવાનું .સાંજે વહેલા સુઈ જવાનું .આ બધા નિયમ મારી સાસરીના નહીં પિયર ના છે અને એ પણ વેકેશન ના છે હો !!!!
આ બધું જે હું લખું છું એ દીકરીઓ જરૂર અનુભવતી હશે કે હા વાત તો સાચી છે .પણ પોતાના પિયરનું ખરાબ ના દેખાય એટલે ચુપ રહેતી હશે ..કેમ કે આપણો સમાજ પુત્ર પ્રધાન છે ..લાયક દીકરીઓ કરતા દીકરાઓ હમેશા વધારે મહત્વના ..એક જ કુખે જન્મેલા સંતાનો સાથે થતી આ ભેદભાવની નીતિ ???
ખેર ..આ નાલાયક દીકરીએ હવે અન્યાય સામે બોલવાનું શરુ કર્યું છે જે માવતર મને કુસંતાન કહે તો ય વાંધો નહીં ..કેમકે જે પીડા આપણને મળે છે એ બહારની દુનિયા કરતા ક્યાંય વધારે આપણા પોતાનાઓ જ આપે છે ....!!
હજી થોડું કહેવું છે ...આવતા અંકે રાખીએ ..મન ભારે થઇ ગયું છે ...!!!!
હું દીકરી છું અને એ મારા માવતર ...મારી જિંદગી એમની દેણ છે ...એમની કોઈ વાતનું ખોટું ના લગાડાય ..
પણ પૈસો આવે ત્યારે માણસ ને ક્યારેક એટલો અભિમાની બનાવી દે છે કે એને બધા પોતાની જાતથી ઘણા નીચલા સ્તરના લાગવા માંડે છે ..એ કોઈનું પણ અપમાન કરી નાખે છે ..આ સહ્ય નહોતું જ મારા માટે પણ ખબર નહિ ઘરડા માં બાપને મારા લીધે કોઈ દુખ ના થાય એ મારી કોશિશ ને લીધે હું મૌન રહેતી અને આ મારા મૌનને મારી કમજોરી ગણી મારા પર માનસિક પ્રહાર ઉગ્ર બનતા ગયા .
કદાચ ભારતીય દીકરીની આ કરુણા છે કે એને પારકી થાપણ તરીકે ઉછેરે છે અને પારકી કરી દે છે પણ તોય એની જિંદગી ના દરેક નિર્ણયમાં દખલ કરવાનો અબાધ્ય હક્ક છોડી નથી શકતા માવતર ..ભુલાતું જાય છે કે કન્યાવિદાય સાથે એની જિંદગી કોઈ બીજા કુટુંબ સાથે જોડાઈ ચુકી છે .એને પોતાના કુટુંબને પ્રાધાન્ય આપવું પડે છે .તેમાં પિયરનો કોઈ ખોટો હસ્તક્ષેપ એના અને એના પતિના જીવનમાં ગંભીર મતભેદ ઉભા કરી શકે છે અને ત્યારે દીકરી ક્યાંયની નથી રહેતી .એ પીડા કોઈ જ સમજી નથી શકતું ...
હવે એક પછી એક એવી ઘટનાઓ આકાર લેતી હતી કે મને લાગતું હતું કે મારું સ્થાન અહીં કોઈ નથી .એક કંપની માંથી છુટા કરાયેલા કર્મચારીની ખાલી ખુરસી જેવું મારું સ્થાન છે .જેના પર થોડા દિવસ બેસીએ તોય કોઈ નોંધ પણ ના લે ...
મારી હાલત તો એ હતી કે એક સંવાદ થી સમજાઈ જશે ..
"હવે તો પરીક્ષાઓ પતી ગઈ છે ને !!! તમને અહીં રહેવા આવી જાવ એટલે એક કામ પતે ..."
હું કહું : હજી હમણાં જ મને હાશકારો થયો છે .થોડા દિવસ મને કોઈ પણ ઉત્પાત વગર મારા ઘરમાં શાંતિથી રહેવાની ઈચ્છા છે .."
"અમારે રંગ થોડું ઈતર કામ કરાવવાનું છે ... તો હમણાં ના આવીશ ..."
પતિ પાસે માંગેલ પરમીશન બાતલ જતી અને બાંધેલા કપડા છોડીને ફરી કબાટમાં ગોઠવી દેતી ..
મારા પિયર માં જવા માટે મારે ખાલી એમની અનુકુળતા જોવાની અને મારી કોઈ પણ મુશ્કેલી તેઓ ના સમજે .પણ ઘરડા માં બાપને હું નહીં જાઉં તો દુઃખ થશે એ લોકો મનમાં ને મનમાં જીવ બાળ્યા કરશે ...
આમને આમ વર્ષો વિતતા ગયા ..મેં બાંધછોડ કરવાનું ચાલુ રાખ્યું .
માં બાપ ભાઈ ભાભી અને હવે જુવાન થતા એમના સંતાનો પણ અમને ભાર રૂપ ગણતા ..એમના મોજશોખ ના કાર્યક્રમ અમારા આગમન પહેલા અને ઘેર ગયા પછી જ યોજાતા ..
હું સમજતી પણ ચુપ હતી .પતિ મારા વગર કહ્યે ચુપ ચાપ ભીંજાતી રહેતી આંખમાં બધું વાંચી લેતા .હવે મારી સાસરીના કેટલાક પ્રસંગોથી મને લાગવા માંડ્યું કે મારા સાસરિયા સામાન્ય જરૂર છે તો પણ એમને એમની વહુ ભાભી માટે માન છે .અહીં મારું વારંવાર અપમાન નથી થયું .અહીં હક્ક હોવા છતાં પણ મારા અંગત જીવનમાં એમનો કોઈ હસ્તક્ષેપ નથી .એ લોકો પોતાનું સુચન અને સલાહ આપે છે પણ એના અમલની જોહુકમી નથી કરતા .મારા ઘરમાં હું મન ગમતી રીતે રહું છું .મને બંધન નથી ..અને નાનકડું ઉદાહરણ આપું ???
મારે સવારે વહેલા ઉઠીને નાહી લેવાનું ..પછી કપડા આઠ વાગ્યા પહેલા ધોવાના હોય .બાર વાગ્યે જમી જ લેવાનું .પછી ફરજીયાત સુઈ જવું પડે . ટી વી કે રેડીઓ સાંભળવાની છૂટ નહીં . સાંજે પાંચ વાગ્યે જ ચા મળે .સાંજે આઠ વાગ્યે જમી જ લેવાનું .સાંજે વહેલા સુઈ જવાનું .આ બધા નિયમ મારી સાસરીના નહીં પિયર ના છે અને એ પણ વેકેશન ના છે હો !!!!
આ બધું જે હું લખું છું એ દીકરીઓ જરૂર અનુભવતી હશે કે હા વાત તો સાચી છે .પણ પોતાના પિયરનું ખરાબ ના દેખાય એટલે ચુપ રહેતી હશે ..કેમ કે આપણો સમાજ પુત્ર પ્રધાન છે ..લાયક દીકરીઓ કરતા દીકરાઓ હમેશા વધારે મહત્વના ..એક જ કુખે જન્મેલા સંતાનો સાથે થતી આ ભેદભાવની નીતિ ???
ખેર ..આ નાલાયક દીકરીએ હવે અન્યાય સામે બોલવાનું શરુ કર્યું છે જે માવતર મને કુસંતાન કહે તો ય વાંધો નહીં ..કેમકે જે પીડા આપણને મળે છે એ બહારની દુનિયા કરતા ક્યાંય વધારે આપણા પોતાનાઓ જ આપે છે ....!!
હજી થોડું કહેવું છે ...આવતા અંકે રાખીએ ..મન ભારે થઇ ગયું છે ...!!!!
No comments:
Post a Comment