વર્તમાનના વાવાઝોડા થી ખરી પડે છે ,
આ ઘર થોડું જુનું થયું એટલે ઝરી પડે છે ,
ખમાતા નથી સમય ના હથોડા એનાથી ,
એટલે દીવાલો પરથી પોપડા ખરી પડે છે .....
નીચે થી ઉપસેલા જુના રંગ કોઈને ખટકી પડે છે ,
કોઈ પર જાણે એમાં સ્મૃતિના રંગો વરસી પડે છે ,
એક છતની નીચે વસતા આ માનવોનું મન ,
આ રસ્તા પરથી જુદા જુદા જગતમાં સરી પડે છે .....
પેલા છાપરામાંથી ઝીણું શું છિદ્ર કૈક મૂકી જાય છે ,
સૂરજના કિરણો એમાંથી ઘરમાં સરી પડે છે ,
એક ટમ ટમ કરતો દીવો પણ આ અંધારા ઓરડે ,
અંધારા થયેલા મનના માળીયે જઈને રડી પડે છે .....
એ સુની ઓશરી ,એ સુના આંગણા કહે છે પરદેસીને ,
જો ધૂળ હઠાવી આંગણાની બેઘડી બેસી ને તો જો ,
તારા હ્રદયમાં ધરબી રાખેલી સ્મૃતિઓ ના પરદા
મનની બારી પરથી કેવા સરકી પડે છે !!!!!
આ ઘર થોડું જુનું થયું એટલે ઝરી પડે છે ,
ખમાતા નથી સમય ના હથોડા એનાથી ,
એટલે દીવાલો પરથી પોપડા ખરી પડે છે .....
નીચે થી ઉપસેલા જુના રંગ કોઈને ખટકી પડે છે ,
કોઈ પર જાણે એમાં સ્મૃતિના રંગો વરસી પડે છે ,
એક છતની નીચે વસતા આ માનવોનું મન ,
આ રસ્તા પરથી જુદા જુદા જગતમાં સરી પડે છે .....
પેલા છાપરામાંથી ઝીણું શું છિદ્ર કૈક મૂકી જાય છે ,
સૂરજના કિરણો એમાંથી ઘરમાં સરી પડે છે ,
એક ટમ ટમ કરતો દીવો પણ આ અંધારા ઓરડે ,
અંધારા થયેલા મનના માળીયે જઈને રડી પડે છે .....
એ સુની ઓશરી ,એ સુના આંગણા કહે છે પરદેસીને ,
જો ધૂળ હઠાવી આંગણાની બેઘડી બેસી ને તો જો ,
તારા હ્રદયમાં ધરબી રાખેલી સ્મૃતિઓ ના પરદા
મનની બારી પરથી કેવા સરકી પડે છે !!!!!
No comments:
Post a Comment