અસ્ખલિત હસવું અને એ અનર્ગળ હાસ્ય
જયારે વેરાઈ જાય છે હવાના શ્વાસોચ્છવાસમાં
ઓગળેલું એ હાસ્ય મારો શ્વાસ બની જાય છે ,
જાને મૃત:પ્રાય શું જીવન જીવંત બની જાય છે .....
એ હાસ્યને સ્પર્શ કર્યો હતો કાલે
થોડું થોડું ભીનાશવાળું હતું
આજે એ થોડું થોડું કોરું થઇ જાય છે ...
લાગણીના સરોવર શું સુકાય છે ક્યારેક ???
ના ..એ શક્ય નથી ...
એ સરોવરતો થોડી વાર ધરતી સાથે વાર્તાલાપમાં
બસ લીન થઇ જાય છે ,
ધરતીને ઘડી ભર અડી જુઓ તો
કોરી ધાક્કોર ધરતી ભીની ભીની થઇ જાય છે ....
એ મનની ધરતી છે ,
એ મૌસમની ધરતી છે ,
એ માહોલની ધરતી છે ,
એ મારા મનમાં પાંગરતી મૌસમની વેલી છે ...
એ અનર્ગળ હાસ્ય ,એ શ્વાસોછ્શ્વાસ
ભીની ભીની સોડમથી મહેકાવે જીવન
થોડી થોડી ભીની ભીની અને થોડી કોરી ....
No comments:
Post a Comment