આજે ઉજળી સવારે ઘરનું દ્વાર ખોલ્યું ....
આંગણામાં થોડા શબ્દો વેરાયેલા હતા ...
થોડા શબ્દો મેં આંગણામાં વેર્યા
તો એ રંગભર્યો સાથીયો બની ગયા .....
એને મંદિરમાં ભગવાનને ચરણે ધર્યા
તો એ પુષ્પમાળા બની ગયા .....
એને બારસાખે બાંધ્યા,
જુઓ જરા એતો મારા દ્વારનું તોરણ બની ગયા ......
એને મેં કુંડામાં વાવી દીધા
તો ગુલાબનો છોડ બની ગયા .....
એને બારી પર શોભાવ્યા
જુઓ તો ખરા એ પરદો બની ગયા .....
એને મેં મનમાં સજાવ્યા
તો એ પ્રેમ બની મહેકી રહ્યા ....
એને મેં કલમમાં ભર્યા તો એ શરમાઈ ગયા ,
જુઓ એ તો નજાકત ભરી નઝમ બની ગયા .......
No comments:
Post a Comment