મારા શબ્દો તો છે વહેતું પહાડી ઝરણું,
ખળખળ કલકલ નિતાંત વહ્યાં કરતું,
એનાં નીકળતાં સૂર ,
મારી એક કવિતા છે....
બંધન મને ગમે છે!
મારા બંને કિનારાનું જ ...
છંદ-અનુપ્રાસ પ્રાસ નાં
બંધન મને માન્ય નથી...
હું તો છું મારી લાગણીની,
અભિવ્યક્તિનો આયનો...
જ્યા વહી જતી પળોનું,
હું પ્રતિબિંબ નીરખી રહી....
મારી લાગણી ભીંજવતી જ્યારે મને ,
અને કલમે વહેતી એક કવિતા!!
શું કહું તને ,શું નામ તારું?
તને તો કહીશ હું શબ્દ-સૂર !!!!
શબ્દ-સૂર !!!
આજનો સુવિચાર
જીંદગી માણસને એવા રુપે જ મળે છે જે સ્વરુપે તે એને જોવા માંગતો હોય છે ..નકારાત્મક વિચારો સાથે અને શંકિત નજરે જોશો તો તમે તેને કેવી રીતે સકારાત્મક રીતે પામી શકો ? તમારા સુખની ચાવી તમારા હાથમાં જ છે....
No comments:
Post a Comment