હવે દેશમાં આત્મહત્યા ગુનો નહિ બને .....
આ વિધા પર ખુશ થવું કે દુ:ખી ખબર નથી પડતી ...
ચાલો 2035 ની વાત કરું ..હા હા ઊંઘમાં નથી .એક વ્યક્તિ સવારની ચા થી રાતે સેક્સ સુધી બધું જ રોબોટ ની મદદથી કરી રહ્યો છે .તેને પોતાના ઓરડામાંથી બહાર જવાની પણ જરૂર નથી .લગ્ન પણ વિડીઓ ચેટ થી . એની કારમાં એ જે ફ્રી હોય એવા દોસ્ત સાથે જતો હોય .તેને જીવનમાં બધું મળી ગયાનો આનંદ છે .તેણે નેટ પર આખી દુનિયા અને એના તમામ પ્રાણી જોયા છે .
એક દિવસ એ એક નદી પરથી પસાર થતો હોય છે .તે અધવચ્ચે પહોંચે છે અને પુલ તૂટે છે .એની કાર એક હેંગર માં ટીંગાઈ ગયી હોય એમ લટકી પડે છે . મગરોનું વિશાલ ઝુંડ છે .તે આઈ એમ હિઅર (ફેસબુક જેવું એક સોશિઅલ સાઈટ )પર સ્ટેટસ મુકે છે અને ફોટો પણ .લોકોને લાગે છે કે એણે ત્યાં જઈને ફોટો લીધો છે .તેના પર પાંચ હાજર લાઈક્સ આવી જાય છે અર્ધો કલાક માં અને તેનો ફોટો વાયરલ થઇ જાય છે ...તે જગ્યા પર થી પુલની બેઉ બાજુએ ટ્રાફિક જામ છે તેથી બચાવ દળ ત્યાં પહોંચી શકે એમ નથી ,હેલીકોપ્ટર પણ અથડાઈ જાય એમ છે .વર્ચ્યુઅલ દુનિયા જ જોઈ હોવાથી સ્વીમીંગ જાણતા નથી . એના જ મિત્રો ત્યાં છે પણ ખબર નથી પડતી બેઉ પાર્ટી ને .ત્યાં પુલની નીચે એક નાવડી આવે છે .એનો માછીમાર આ દ્રશ્ય જોઇને બીજા પાંચ છ નાવડીવાલા ને લઇ આવે છે .બધા મોટી જાળ પકડી ને ઉભા રહે છે અને તેને કુદવાનું કહે છે .તેનો જીવ બચી જાય છે .
આ વ્યક્તિએ આ પરિસ્થિતિ પહેલી વાર જોઈ અને તેને ત્યારે એક માઈલ્ડ એટેક પણ આવી ગયો ...
શું સમજ્યા ???
વાત હજી પૂરી નથી થઇ ..તેને પોતાના ઓવર ઓવર સ્માર્ટ મોબાઈલ પર ગુસ્સો આવ્યો તો એને ફેંકી દીધો પેલી નદી માં ..હજારો લાઈક આપનાર સાઈટ પરથી એણે એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યું .એણે બધા સાથે સંબંધ તોડી નાખ્યો . અને સાવ એકલો પડી ગયો . એ બધા દોસ્તને પર્સનલી મળવાની કોશિશ કરતો તો કોઈ સમય નહોતું આપતું .તે એક સ્યુસાઈડનોટ લખે છે અને એક ઝેર ની શીશી ખરીદી મંદિર માં છેલ્લે ભગવાનના દર્શન માટે એક મંદિર માં જાય છે .બાંકડે એક કાકા બેઠા હોય છે .તેની સાથે બેસે છે .થોડી વાતો કરે છે .ઘેર આવે છે ત્યારે એને સારું લાગે છે . તે ઘેર જાય છે અને નોટ ફાડી નાખે છે ...
શું જાણ્યું ???
1. મશીનો ગમે તેટલા સક્ષમ હોય તે માનવીની હુંફ ના તોલે ક્યારેય ના આવી શકે .ગેઝેટ્સ ના ગુલામ થઈને આપણે આપણા અસ્તિત્વ સાથે ચેડા કરી રહ્યા છીએ .
2.માણસ આત્મહત્યાનો વિચાર ત્યારે કરે છે જયારે એને લાગે તે એકલો પડી ગયો છે અને તેની પોઝીશન કોઈ સમજી શકતું જ નથી .કોઈને પોતાનો પ્રોબ્લેમ કહેશે તો બધા એની મશ્કરી કરશે .એને કોઈ નજીકના જ લોકોએ હર્ટ કર્યો હોય જેના પર એને અખૂટ વિશ્વાસ હોય . અથવા પોતાના કોઈ કાર્ય કે પરિણામ ને લીધે પોતાના ખુબ નજીકના જેને એ ખુબ પ્રેમ કરતો હોય એ હર્ટ થશે કે તે વ્યક્તિનો પ્રેમ તે ગુમાવી દેશે એવો ભય હોય . ત્યારે એ પોતાના દિલમાં ગૂંગળાય છે અને એ ઉભરો ક્યારેક આત્મહત્યાની કોશિશ માં પરિણમેં છે .
3.તેને કોઈ સમય ના આપે અને પ્રેમાળ હાથ ના સ્પર્શની ખોટ આવે વખતે ખુબ વર્તાય છે ..
4.જયારે મુસીબત જીવનમાં આવે ત્યારે ચારે તરફ થી આવે છે એટલે એ જલ્દી થી મૂંઝાઈ જતો હોય છે અને એને લાગે છે કે દુનિયા માં પોતે એકલો જ દુખી છે .
5.હવે દેખાડા ની દુનિયા છે .જીવનમાં ભલે ગમે તેટલા દુખી હોય અને કરોડોનું દેવું હોય પણ લોકો ખુબ જ સુખી હોવાનો ડોળ કરતા હોય છે .પણ આ દંભ તેમને પોતાને અકળાવી દેતો હોય છે થકવી દેતો હોય છે .
6. સૌથી અગત્યની વાત તો એ છે કે માણસની સહનશક્તિ સાવ ખૂટી ગયી છે એને બધું ઇન્સ્તંત જોઈએ છે .
મોત પણ !!!!
7.આપણી જીવન શૈલી જે ટોટલી વ્યક્તિકેન્દ્રી બની ચુકી છે .એક ઘરમાં પણ લોકો એક બીજાને ધારે ત્યારે મળી નથી શકતા .એક બીજા ના રૂમ માં બેધડક જઈ નથી શકતા .એક બીજાને ત્યાં ફોન કર્યા વગર જવાતું નથી .અને પોતાની બડાઈ કરવા માટે ખુબ સમય છે પણ કોઈ નું દર્દ સાંભળવા સમય આપી નથી શકતા। બાળકો અને વૃધ્ધો તેના શિકાર બની ગયા છે .
= એક નાનકડી વાત કહેવી છે કે એક વ્યક્તિ એવો હોવો જોઈએ જે તમને તટસ્થ રીતે મુલવી શકતો હોય અને વિશ્વસનીય હોય .એક વ્યક્તિ તો દરેક ને એવો મળે છે પણ મોટા ભાગના કિસ્સામાં એને ઓળખી શકતા નથી .એની આગળ દિલ ખોલીને બધી જ વાત કરી લો .મન થાય તો મોકલે મને રડી પણ લો .આવું કરવાથી તમારા દિલનો ગુબ્બાર બહાર આવી જશે .દિલ હલકું થઇ જશે અને મરી જવાનો વિચાર પણ જતો રહેશે .એ વ્યક્તિ ભલે કશું ના મદદ કરે પણ તમને શાંતિથી સાંભળે એ તેની સૌથી મોટી મદદ હોય છે .
= કોઈ ના મળે તો એક કાગળ પર બધું લખી જાવ જે તમારા મન માં હોય .ગાળો આવતી હોય તો એ પણ .એ લખી નાખશો ત્યારે તમારા મનનો કચરો કાગળ પર જતો રહ્યો હશે અને તમે દુનિયા છોડવાને બદલે દુનિયા માં રહેવા માટે જરૂર વિચારશો .
= કોઈ નથી મળતું પોતાના ઘરના દેવસ્થાનમાં એકાંત માં બેસી ખુબ રડી લો અને ઇષ્ટ દેવને બધું કહો .એ તો સર્વજ્ઞાતા છે પણ તમે એની સામે દિલ ખોલી નાખશો તો કોઈને ખબર પણ નહિ પડે ,આબરૂ પણ સચવાઈ જશે અને તમારી સમસ્યા દુર કરવા માટે સાચી રીતે તો એ જ સમર્થ છે .પણ હા તમારું દિલ હળવું હળવું પીંછા જેવું બની જશે ...
આત્મહત્યા માંથી બચવું હોય તો પહેલા સાત મુદ્દાઓ થી વિરુદ્ધ વર્તો અને આ ત્રણ મુદ્દા ને યાદ રાખી કોઈ હતાશ વ્યક્તિમાં પ્રાણ પૂરો ..
તમે કોઈ વ્યક્તિના નૈતિક રીતે ગુનેગાર છો કે નહિ એ તમારો અંતરાત્મા નક્કી કરે કે ભગવાન ..એના ન્યાય તોળવાનું સામર્થ્ય હજી સુધી માનવને મળ્યું નથી ..
તો જેટલું જીવો એટલું પ્રેમ થી ,નફરત નહિ અને મોબાઈલ સાથે નહિ પણ જીવંત વ્યક્તિ સાથે મૈત્રી કે લગ્ન કરીને જીવો .
આ વિધા પર ખુશ થવું કે દુ:ખી ખબર નથી પડતી ...
ચાલો 2035 ની વાત કરું ..હા હા ઊંઘમાં નથી .એક વ્યક્તિ સવારની ચા થી રાતે સેક્સ સુધી બધું જ રોબોટ ની મદદથી કરી રહ્યો છે .તેને પોતાના ઓરડામાંથી બહાર જવાની પણ જરૂર નથી .લગ્ન પણ વિડીઓ ચેટ થી . એની કારમાં એ જે ફ્રી હોય એવા દોસ્ત સાથે જતો હોય .તેને જીવનમાં બધું મળી ગયાનો આનંદ છે .તેણે નેટ પર આખી દુનિયા અને એના તમામ પ્રાણી જોયા છે .
એક દિવસ એ એક નદી પરથી પસાર થતો હોય છે .તે અધવચ્ચે પહોંચે છે અને પુલ તૂટે છે .એની કાર એક હેંગર માં ટીંગાઈ ગયી હોય એમ લટકી પડે છે . મગરોનું વિશાલ ઝુંડ છે .તે આઈ એમ હિઅર (ફેસબુક જેવું એક સોશિઅલ સાઈટ )પર સ્ટેટસ મુકે છે અને ફોટો પણ .લોકોને લાગે છે કે એણે ત્યાં જઈને ફોટો લીધો છે .તેના પર પાંચ હાજર લાઈક્સ આવી જાય છે અર્ધો કલાક માં અને તેનો ફોટો વાયરલ થઇ જાય છે ...તે જગ્યા પર થી પુલની બેઉ બાજુએ ટ્રાફિક જામ છે તેથી બચાવ દળ ત્યાં પહોંચી શકે એમ નથી ,હેલીકોપ્ટર પણ અથડાઈ જાય એમ છે .વર્ચ્યુઅલ દુનિયા જ જોઈ હોવાથી સ્વીમીંગ જાણતા નથી . એના જ મિત્રો ત્યાં છે પણ ખબર નથી પડતી બેઉ પાર્ટી ને .ત્યાં પુલની નીચે એક નાવડી આવે છે .એનો માછીમાર આ દ્રશ્ય જોઇને બીજા પાંચ છ નાવડીવાલા ને લઇ આવે છે .બધા મોટી જાળ પકડી ને ઉભા રહે છે અને તેને કુદવાનું કહે છે .તેનો જીવ બચી જાય છે .
આ વ્યક્તિએ આ પરિસ્થિતિ પહેલી વાર જોઈ અને તેને ત્યારે એક માઈલ્ડ એટેક પણ આવી ગયો ...
શું સમજ્યા ???
વાત હજી પૂરી નથી થઇ ..તેને પોતાના ઓવર ઓવર સ્માર્ટ મોબાઈલ પર ગુસ્સો આવ્યો તો એને ફેંકી દીધો પેલી નદી માં ..હજારો લાઈક આપનાર સાઈટ પરથી એણે એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યું .એણે બધા સાથે સંબંધ તોડી નાખ્યો . અને સાવ એકલો પડી ગયો . એ બધા દોસ્તને પર્સનલી મળવાની કોશિશ કરતો તો કોઈ સમય નહોતું આપતું .તે એક સ્યુસાઈડનોટ લખે છે અને એક ઝેર ની શીશી ખરીદી મંદિર માં છેલ્લે ભગવાનના દર્શન માટે એક મંદિર માં જાય છે .બાંકડે એક કાકા બેઠા હોય છે .તેની સાથે બેસે છે .થોડી વાતો કરે છે .ઘેર આવે છે ત્યારે એને સારું લાગે છે . તે ઘેર જાય છે અને નોટ ફાડી નાખે છે ...
શું જાણ્યું ???
1. મશીનો ગમે તેટલા સક્ષમ હોય તે માનવીની હુંફ ના તોલે ક્યારેય ના આવી શકે .ગેઝેટ્સ ના ગુલામ થઈને આપણે આપણા અસ્તિત્વ સાથે ચેડા કરી રહ્યા છીએ .
2.માણસ આત્મહત્યાનો વિચાર ત્યારે કરે છે જયારે એને લાગે તે એકલો પડી ગયો છે અને તેની પોઝીશન કોઈ સમજી શકતું જ નથી .કોઈને પોતાનો પ્રોબ્લેમ કહેશે તો બધા એની મશ્કરી કરશે .એને કોઈ નજીકના જ લોકોએ હર્ટ કર્યો હોય જેના પર એને અખૂટ વિશ્વાસ હોય . અથવા પોતાના કોઈ કાર્ય કે પરિણામ ને લીધે પોતાના ખુબ નજીકના જેને એ ખુબ પ્રેમ કરતો હોય એ હર્ટ થશે કે તે વ્યક્તિનો પ્રેમ તે ગુમાવી દેશે એવો ભય હોય . ત્યારે એ પોતાના દિલમાં ગૂંગળાય છે અને એ ઉભરો ક્યારેક આત્મહત્યાની કોશિશ માં પરિણમેં છે .
3.તેને કોઈ સમય ના આપે અને પ્રેમાળ હાથ ના સ્પર્શની ખોટ આવે વખતે ખુબ વર્તાય છે ..
4.જયારે મુસીબત જીવનમાં આવે ત્યારે ચારે તરફ થી આવે છે એટલે એ જલ્દી થી મૂંઝાઈ જતો હોય છે અને એને લાગે છે કે દુનિયા માં પોતે એકલો જ દુખી છે .
5.હવે દેખાડા ની દુનિયા છે .જીવનમાં ભલે ગમે તેટલા દુખી હોય અને કરોડોનું દેવું હોય પણ લોકો ખુબ જ સુખી હોવાનો ડોળ કરતા હોય છે .પણ આ દંભ તેમને પોતાને અકળાવી દેતો હોય છે થકવી દેતો હોય છે .
6. સૌથી અગત્યની વાત તો એ છે કે માણસની સહનશક્તિ સાવ ખૂટી ગયી છે એને બધું ઇન્સ્તંત જોઈએ છે .
મોત પણ !!!!
7.આપણી જીવન શૈલી જે ટોટલી વ્યક્તિકેન્દ્રી બની ચુકી છે .એક ઘરમાં પણ લોકો એક બીજાને ધારે ત્યારે મળી નથી શકતા .એક બીજા ના રૂમ માં બેધડક જઈ નથી શકતા .એક બીજાને ત્યાં ફોન કર્યા વગર જવાતું નથી .અને પોતાની બડાઈ કરવા માટે ખુબ સમય છે પણ કોઈ નું દર્દ સાંભળવા સમય આપી નથી શકતા। બાળકો અને વૃધ્ધો તેના શિકાર બની ગયા છે .
= એક નાનકડી વાત કહેવી છે કે એક વ્યક્તિ એવો હોવો જોઈએ જે તમને તટસ્થ રીતે મુલવી શકતો હોય અને વિશ્વસનીય હોય .એક વ્યક્તિ તો દરેક ને એવો મળે છે પણ મોટા ભાગના કિસ્સામાં એને ઓળખી શકતા નથી .એની આગળ દિલ ખોલીને બધી જ વાત કરી લો .મન થાય તો મોકલે મને રડી પણ લો .આવું કરવાથી તમારા દિલનો ગુબ્બાર બહાર આવી જશે .દિલ હલકું થઇ જશે અને મરી જવાનો વિચાર પણ જતો રહેશે .એ વ્યક્તિ ભલે કશું ના મદદ કરે પણ તમને શાંતિથી સાંભળે એ તેની સૌથી મોટી મદદ હોય છે .
= કોઈ ના મળે તો એક કાગળ પર બધું લખી જાવ જે તમારા મન માં હોય .ગાળો આવતી હોય તો એ પણ .એ લખી નાખશો ત્યારે તમારા મનનો કચરો કાગળ પર જતો રહ્યો હશે અને તમે દુનિયા છોડવાને બદલે દુનિયા માં રહેવા માટે જરૂર વિચારશો .
= કોઈ નથી મળતું પોતાના ઘરના દેવસ્થાનમાં એકાંત માં બેસી ખુબ રડી લો અને ઇષ્ટ દેવને બધું કહો .એ તો સર્વજ્ઞાતા છે પણ તમે એની સામે દિલ ખોલી નાખશો તો કોઈને ખબર પણ નહિ પડે ,આબરૂ પણ સચવાઈ જશે અને તમારી સમસ્યા દુર કરવા માટે સાચી રીતે તો એ જ સમર્થ છે .પણ હા તમારું દિલ હળવું હળવું પીંછા જેવું બની જશે ...
આત્મહત્યા માંથી બચવું હોય તો પહેલા સાત મુદ્દાઓ થી વિરુદ્ધ વર્તો અને આ ત્રણ મુદ્દા ને યાદ રાખી કોઈ હતાશ વ્યક્તિમાં પ્રાણ પૂરો ..
તમે કોઈ વ્યક્તિના નૈતિક રીતે ગુનેગાર છો કે નહિ એ તમારો અંતરાત્મા નક્કી કરે કે ભગવાન ..એના ન્યાય તોળવાનું સામર્થ્ય હજી સુધી માનવને મળ્યું નથી ..
તો જેટલું જીવો એટલું પ્રેમ થી ,નફરત નહિ અને મોબાઈલ સાથે નહિ પણ જીવંત વ્યક્તિ સાથે મૈત્રી કે લગ્ન કરીને જીવો .
No comments:
Post a Comment