જીવનમાં દરેકના જીવનમાં એક સમય એવો આવે છે કે જયારે એણે તૈયાર કરેલી સરસ ઈમારત એની નજર સામે કકડભૂસ થઈને જમીનદોસ્ત થઇ જાય ત્યારે વ્યક્તિની સૌથી મોટી પરીક્ષા થઇ જાય છે ..
એની પાસે બે રસ્તા હોય છે : ફરી ઉભો થઈને નવી ઈમારતની તૈયારીમાં લાગી જાય અથવા તો પોતાના દુઃખ ની દાસ્તાનને વાગોળતા વાગોળતા રડતો બેસી રહે ...
અને તમે જીવનમાં જીતશો કે હારશો એ આના પર જ નિર્ભર રહે છે ...
મારા અનુભવ થી કહું છું ..મારો બ્લોગ બ્લોક થઇ ચુક્યો છે ત્યારે પ્રયત્નો કર્યા છતાં તેના પર પોસ્ટીંગ શરુ ના થઇ શક્યું તો મેં અહીં આવવાનો નિર્ણય લઇ લીધો ..
મારી રીડરશીપ મારા ફોલોઅર્સ બધું જ શૂન્ય થઇ ગયું ત્યારે નવેસરથી એકડે એક કરવાની મજા આવી ..ચલો મંઝીલે ઔર ભી હૈ ..સિતારોં સે આગે જહાં ઓર ભી હૈ ...
No comments:
Post a Comment